ભગવાન વિષ્ણુના પવિત્ર ધામ એવા બદ્રિનાથના દર્શન કરો આ videoમાં

0
577
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ચાર ધામમાંથી એક બદ્રીનાથ ધામની યાત્રા ખૂબ જ પવિત્ર યાત્રાઓમાંની એક યાત્રા ગણાય છે. હિન્દુઓ માને છે કે વિષ્ણુ ભગવાનના આ પવિત્ર ધામમાં જે એકવાર પ્રવેશ મેળવી લે તેમનો જન્મારો સુધરી જાય છે. પ્રાચીન પુરાણોમાં ઉલ્લેખ છે કે બદ્રીનાથ ધામ પાસે અનેક મનુષ્યો અને સાધુ સંતો તથા દેવતાઓએ કરોડો વર્ષ સુધી તપસ્યા કરી હતી. અહીં નર અને નારાયણ નામના બે સંતોએ લાંબો સમય સુધી તપસ્યા કરી હતી. એવુ મનાય છે કે નારાયણ (વિષ્ણુ ભગવાન) આજની તારીખે અહીં હાજરાહાજૂર છે અને એ જગ્યાએ બદ્રીનાથ મંદિર બનાવાયું છે.