video: શિમલાના આ મંદિરમાં છે બજરંગબલીની 108 ફૂટની પ્રતિમા

0
350
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

શિમલાના જાખુમાં આવેલું હનુમાન મંદિર એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે તેના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. માન્યતા છે કે રામ-રાવણ યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે સંજીવની બૂટી લેવા માટે હિમાલય તરફ આકાશ માર્ગે જતા હનુમાનજીની નજર અહીં તપસ્યા કરી રહેલા યક્ષ ઋષિ પર પડી. પછીથી આ જગ્યાનું નામ યક્ષ ઋષિના નામે જ યક્ષથી યાક, યાકથી યાકૂ અને યાકૂથી જાખુ સુધી બદલાતુ ગયું. હનુમાનજી વિશ્રામ કરવા અને સંજીવની બૂટીનો પરિચય પ્રાપ્ત કરવા માટે જાખુ પર્વતના જે સ્થાન પર ઉતર્યા, ત્યાં આજે પણ પદ ચિહ્નોથી સંગેમરમર બનાવીને રાખવામાં આવ્યું છે.