VIDEO: જાણો સોનેથી મઢેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ અને ખાસિયતો

0
221
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

સૌરાષ્ટ્ર (ગુજરાત)માં આવેલું આ સૌથી જૂનું અને મહત્ત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલાં આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પથ્થરથી એનું નિર્માણ કરાવ્યું હતું. સોમનાથ મંદિર પર છ વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. દરેક વખતે આ મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે. આ તે સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશાં વિનાશકર્તાથી વધુ હોય છે.

દર્શનમહાત્મ્ય

પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાતા આ સ્થળે શિવજીએ ચંદ્રદેવ અથવા સોમરાજાના ક્ષયરોગનું નિવારણ કર્યું હતુ. આમ, સોમનાથનું પૂજન કરવાથી ક્ષયરોગ (ટીબી) તથા તેને સંબંધિત રોગોનું નિવારણ થાય છે.