VIDEO: આંધ્ર પ્રદેશનું મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ, જાણો ઇતિહાસ

0
481
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે. તે અનુસાર શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન છે. પાંડવોએ ‘પંચ પાંડવ’ લિંગની સ્થાપ્ના અહીંયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યાં હતાં. ભક્ત પ્રહ્લાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયાં પૂજા અર્ચના કરતા હતા.

દર્શનમહાત્મ્ય

શ્રી મલ્લિકાર્જુનનાં દર્શનથી માત્ર સંપત્તિ જ નહિ, માનવીની ઇચ્છાઓની પણ પૂર્તિ થાય છે. પુત્રપ્રાપ્તિ માટે મલ્લિકાર્જુનના દર્શનનો વિશેષ મહિમા છે. આ સ્થળ શક્તિપીઠ પણ છે.