VIDEO: શ્રીનાથજીની મૂર્તિમાં સાક્ષાત ઠાકોરજીનો વાસ, જાણો ઇતિહાસ

0
234
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

1665ની સાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના હુમલાના ભયથી બચાવવા શ્રી ગોવર્ધનથી શ્રીનાથજીની મૂર્તિને અહીં લાવવામાં આવી હતી. આશરે 32 મહિનાની સફર બાદ આ મૂર્તિ મેવાડ પહોંચી હતી.

ભગવાન શ્રીનાથજી બિરાજેલા હતા તે રથનું પૈંડુ સિહાર પ્રદેશમાં અટકી જતા ભગવાનની અહીં જ વસવાની ઈચ્છા જાણીને અહીં જ મંદિર બનાવાયું હતું. બનાસ નદીના કાંઠે વસેલા નાથદ્વારામાં ઈસ. 1672ની સાલમાં ભગવાન શ્રીનાથજીને વર્તમાન મંદિરમાં બિરાજમાન કરાયા હતા.