આ પૌરાણીક મંદિરમાં દર્શન કરવાથી નથી નડતી સાડાસતી. દક્ષિણ ગુજરાતમાં આવેલ પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા ખાતે આવેલ ઝંડ હનુમાન મંદિર ખાતે એકવાર દર્શન કરનાર ભક્તને પણ જીવનમાં ક્યારેય શનિ પનોતી નડતી નથી. આગામી 15 મે મંગળવારના રોજ હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાની અમાસ છે. આ દિવસને ન્યાયના દેવતા શનિદેવની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. ગ્રહમંડળમાં શનિ દેવ ન્યાયાધિશ છે જેથી લોકોને તેમના કર્મની સજા પનોતી રૂપે આપે છે.