લૉકડાઉનમાં રેલવે મુસાફરી દરમ્યાન આ વાતોનું જરૂર ધ્યાન રાખો

0
405
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારતીય રેલવેએ સેવા શરૂ કરી છે. હવે યાત્રા પહેલા જેવી નહીં હોય. તમારે મુસાફરી દરમ્યાન અનેક ચીજોનું ધ્યાન રાખવું પડશે. જો તમે આ વાતોથી વાકેફ નથી તો નવી ગાઇડલાઇન્સ ઉપરાંત તમારે કઇ વાતોનું ધ્યાન રાખવું પડશે.

-યાત્રા દરમ્યાન હંમેશા માસ્ક પહેરીને રહો. આ સાથે જ તમે હાથમોજા પહેરવાનું ભુલતા નહીં. મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા 2-4 માસ્ક પોતાની સાથે રાખો. એક માસ્ક 4 કલાકથી વધુ ન પહેરો.

-હેન્ડ સેનિટાઇઝર પોતાની સાથે રાખો. જો કે, રેલવે તરફથી આપને સેનિટાઇઝ આપવામાં આવશે. તેમ છતાં પોતાની સાથે હેન્ડ સેનિટાઇઝર જરૂર રાખો.

-યાત્રા દરમ્યાન પોતાની સાથે ચાદર અને કામળો જરૂર લઇ જાઓ. રેલવે ચાદર અને શૉલ આપશે નહીં.

-ખાવા માટે ઘરેથી બનેલા સ્નેક્સ અને ડબ્બા બંધ ચીજો લઇ જાઓ. આ સાથે જ રેલવેમાં ખાવા માટે અન્ય ચીજો પણ લાવો, જો મુસાફરી લાંબી હોય તો.

-રેલવેમાં પ્રવેશ બાદ કોઇપણ અજાણી ચીજોને પકડશો નહીં. જો ભૂલથી પકડી લો તો હાથ ધુઓ અને સેનિટાઇઝ કરો. પોતાની સીટને પણ સેનિટાઇઝ કરો.

-સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. સહયાત્રીથી છ ફૂટનું અંતર રાખો. પોતાની સીટ છોડીને બીજાની સીટ પર ન બેસો.

-ઘણાં લોકોને ચાલતી ટ્રેનમાં દરવાજો પકડીને ઉભા રહેવાની આદત હોય છે. આવું ન કરો કારણ કે દરવાજો પકડીને અનેક લોકો અંદર-બહાર જાય છે. જેનાથી સંક્રમણનો ખતરો વધારે રહે છે.

-દરેક 30 મિનિટ કે અડધા કલાક બાદ પોતાના હાથને જરૂર ધુઓ

-યાત્રા દરમ્યાન પોતાના ચહેરા, મોં અને નાકને અડવાથી બચો