લૉકડાઉનમાં હવાઇ યાત્રા દરમ્યાન આ વાતોનું જરૂર રાખો ધ્યાન

0
259
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કોરોના વાયરસ સંક્રમણના કારણે લાંબા સમય બાદ એરલાઇન્સ સેવા શરૂ કરવામાં આવી છે. સરકારે યાત્રીઓ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેનું યાત્રીઓએ પાલન કરવું પડશે. આ સાથે જ ક્વોરન્ટીન માટે રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે. જ્યારે યાત્રા સમયે તમારે જાતે કેટલીક વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઇએ. જો તમને નથી ખબર તો આવો જાણીએ-

-માસ્ક અને હાથમોજા જરૂર પહેરો. સામાજીક અંતરનું પાલન કરો

-પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ જરૂર રાખો, જેથી આપને સંક્રમિત વ્યક્તિ અંગે યોગ્ય સમયે સાચી જાણકારી પ્રાપ્ત થઇ શકે.

-પોતાની સાથે પર્યાપ્ત માત્રામાં ટિશ્યૂ પેપર લાવો. પીવાનું પાણી જરૂર રાખો.

-દરેક 30 મિનિટ કે અડધા કલાક બાદ પોતાના હાથને જરૂર ધુઓ

-યાત્રા દરમ્યાન પોતાના ચહેરા, મોં અને નાકને અડવાથી બચો

-ગરમીનો સમય છે તો પસીનો પણ આવે તે સ્વાભાવિક છે. તેથી સ્વચ્છ નેપકિન રાખો અને તેનાથી જ પરસેવો લુછવાનું રાખો. હાથેથી પરસેવો ન લુછો.

-સરકાર તરફથી જાહેર કરેલા નિયમોનું પાલન કરો અને યાત્રા દરમ્યાન એરપોર્ટ સ્ટાફને સંપૂર્ણ સહયોગ આપો. યાત્રા દરમ્યાન કોઇની સાથે કંઇપણ શેર ન કરો અને પોતાના કો-ટ્રાવેલરને પણ સોશ્યલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાની સલાહ આપો.

-પોતાની સાથે સેનિટાઇઝર રાખો. જ્યારે પણ તમે અજાણી વસ્તુને અડો ત્યારે પોતાના હાથોને સેનિટાઇઝ કરો, જેમ કે કેબના દરવાજાને ખોલતી વખતે, પોતાના લગેજને ઉઠાવતી વખતે, કેબ ડ્રાઇવરને પૈસાની લેવડ-દેવડ કર્યા બાદ પોતાના હાથોને જરૂર સેનિટાઇઝ કરો.