ભક્તોની આસ્થાનું સ્થળ છે ચામુંડા માતાજીનું ચોટીલા ધામ, જુઓ video

0
449
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ચોટીલા ડુંગર અને ચામુંડા મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ-મુંડ વિનાશિની ચામુંડા કહેવાયાં. ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના, રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજિયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર, કચ્છના રબારી અને આહીર, દીવ-સોમનાથ તરફના ખારવા, મોરબીના સતવારા સમાજ તેમજ અન્ય કુળોમાં કુળદેવી તરીકે પૂજાય છે.