મહારાષ્ટ્રમાં ફરવા માટે આ છે બેસ્ટ ડેસ્ટિનેશન્સ

0
594
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાતની પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં જો તમે મુંબઇ, મહાબળેશ્વર કે માથેરાનથી આગળ ન વધ્યા હોવ તો આજે અમે આપને અન્ય કેટલાક જોવા લાયક સ્થળો વિશે જણાવીશું. જો તમે મહારાષ્ટ્રમાં વેકેશન માટે જવા માગતા હોવ તો અહીં એવી 8 જગ્યાઓ છે જ્યાં તમે ભરપૂર મજા માણી શકશો. આ સ્થળો એવા છે જ્યાં તમે ફેમિલી, ફ્રેંડ્સ કે તમારા પાર્ટનર સાથે જઈ શકો છો. એડવેંચરનો શોખ હશે તો એ પણ આ સ્થળોએ આવીને પૂરો થશે.

તારકર્લી

તારકર્લી કે પછી આખે આખું માલવણ ફરીને આવો. વાદળી સમુદ્ર અને દૂર દૂર સુધી સફેદ રેતી તમારો મહિનાઓનો થાક મિનિટોમાં દૂર કરી દેશે. એડવેંચર કરવાની ઈચ્છા હોય તો સ્કૂબા ડાઈવિંગ, પેરા સેલિંગની મજા તમે અહીં ઉઠાવી શકશો. ખાવામાં પીવામાં માલવણી વ્યંજનો દાઢે વળગે તેવા છે. તમારો ફ્રેંડ્સ કે પાર્ટનર સાથે અહીં જાઓ, મજ્જા પડી જશે.

ભીમાશંકર

સહ્યાદ્રીના પર્વતોમાં આવેલું ભીમાશંકર મંદિર 12 જ્યોર્તિલિંગ પૈકીનું એક છે. ઊંચાઈ પર આવેલું મંદિર પથ્થરોથી બનેલું છે. ચારે બાજુ હરિયાળી અને દૂર દૂર સુધી પહાડનો નજારો મન મોહી લેશે. આ સિવાય અહીં બાકી મંદિરોની સરખામણીમાં ભીડ ઓછી હોય છે. અહીંનું વાતાવરણ મેડિટેશન માટે સાનૂકુળ છે. નજીકમાં જ આવેલા સોલનપાડામાં પણ તમે પરિવાર સાથે જઈ શકો છો.

લોણાર સરોવર

બુલઢાના જિલ્લામાં આવેલું લોણાર સરોવર પ્રકૃતિની સુંદર ભેટ છે. આ રહસ્યમી સરોવર અલ્કલાઈન અને સલાઈન બંને છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હજારો વર્ષો પહેલા ઉલ્કાવર્ષાને કારણે આ સરોવરનું નિર્માણ થયું હતું. જો તમે પક્ષીપ્રેમી હોવ તો આ ડેસ્ટિનેશન તમારા લિસ્ટમાં સૌથી ઉપર હોવું જોઈએ. સરોવર સુધી પહોંચવાનો રસ્તો થોડો મુશ્કેલ છે પરંતુ તમને રોમાંચિત કરશે. આસપાસ ઘણાં મંદિરો આવેલા છે જ્યાં ખજૂરાહો જેવી કલાકૃતિઓ બનેલી છે.

તાડોબા નેશનલ પાર્ક

જે વન્યજીવો પ્રત્યે પ્રેમ હોય તો ચંદ્રપુરના તાડોબા નેશનલ પાર્ક અચૂક જવું જોઈએ. વાઘ જોવાની ઈચ્છા હોય તો આ પાર્ક તમને નિરાશ નહીં કરે. અહીં ટાઈગર સફારીની સુવિધા છે. છોડ અને વન્યજીવોમાં રૂચિ હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે. હરણ, જંગલી કૂતરા, અલગ-અલગ પ્રકારના પક્ષી તમને અહીં જોવા મળશે. બાળકોને આ પાર્કમાં લઈ જશો તો તેમને ખૂબ મજા પડશે.

મહાબળેશ્વર

પહાડ, ઠંડી ઠંડી હવા જો તમને આકર્ષતિ હોય તો મહાબળેશ્વર પહોંચી જાઓ. અહીંના રોમેન્ટિક મોસમમાં જો તમારો પાર્ટનર તમારી સાથે હશે તો વાત જ અલગ હશે. ઉગતા સૂરજની પીળી રોશનીમાં તમારી નવી યાદો બનાવવા માટે એકવાર અચૂક અહીં જાઓ. અહીં તમે બોટિંગ અને ટ્રેકિંગ પણ કરી શકો છો. શાંતિથી 4 દિવસ વિતાવવા હોય તો આ જગ્યા બેસ્ટ છે.

 

ઔરંગાબાદ

યૂનેસ્કો દ્વારા ઐતિહાસિક વારસામાં સમાવિષ્ટ કરાયેલી અજંતા-ઈલોરાની ગુફાઓમાં તમે તમારી કલ્પનાની દુનિયામાં ડૂબકી લગાવી શકો છો. હરિયાળા ગાર્ડન અને સરોવરો તમને પ્રકૃતિની નજીક હોવાનો અહેસાસ કરાવશે. ઐતિહાસિક મહત્વ ધરાવતી આ જગ્યા પર બાળકોને જરૂર લઈ જજો.

નાસિક

નાસિક તીર્થ સ્થળ હોવાની સાથે સાથે પર્યટન સ્થળ પણ છે. અંજનેરીના પહાડો પર ટ્રેકિંગની મજા લઈ શકો છો. શાંતિ શોધતા હોવ તો ધમ્મગિરીમાં બે દિવસ વિતાવો. વાઈન બનતી જોવાનો લ્હાવો મળશે. પંચવટીમાં તમારી આસ્થાને સંતોષી શકો છો. તો એક સાંજ ગોદાવરીના કિનારે પણ વિતાવજો.

પંચગની

અહીંની નૈસર્ગિક ખૂબસુરતી તમારું મન ખુશ કરી દેશે. પંચગની મહારાષ્ટ્રનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. સવારે જલ્દી ઉઠીને પર્વતોની વચ્ચે ઉગતા સૂર્યનો જોવો એ તમારી જિંદગીનો શ્રેષ્ઠ અનુભવ અને યાદગાર સવાર બની રહેશે. જો તમે સવારે વહેલા ન ઊઠી શકતા હોવ તો ઢળતા સૂરજને જોવાનો આનંદ ઉઠાવજો.